વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ અવલ્ટા સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ ડુંગરપર હળવદના વતની વિજયભાઈ કરમશીભાઈ જખવાડિયા ઉ.27 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા કે એસિડ જેવો પદાર્થ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.