મહાવીર સ્વામીને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાયા
મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ પ્રસંગે આજે મોરબીમાં સમસ્ત જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાની શરૂઆત મોરબીના દરબારગઢ સ્થિત જૈન દેરાસરથી થઈ હતી અને ગ્રીન ચોક, નગર દરવાજે થઈ જુના બસ સ્ટેન્ડથી સાવસર પ્લોટ થઈને રામચોકથી રસીકલાલ શેઠ બોય્ઝ હાઈસ્કૂલ પહોંચીને ધર્મસભામાં ફેરવાય હતી.