મોરબી:- પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત આજે ઘુચરવાડીના આંગણવાડી કેન્દ્ર પર ઘુચરવાડી સહિત ખારીવાડી અને ગાયત્રીનગરના સગર્ભા બહેનો માટે ગર્ભસંસ્કાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ પ્રોગ્રામ અંતર્ગત દાતાશ્રી દ્વારા સગર્ભા બહેનોને સુખડી ખજૂર કઠોળ જેવા પોષણયુક્ત ખોરાક આપવામાં આવેલ હતો. જેમાં મોટી સંખ્યામાં સગર્ભા બહેનોએ આ ગર્ભસંસ્કાર પ્રોગ્રામનો લાભ લીધો હતો.