Wednesday - Apr 29, 2026

મોરબીમાં એચઆઈવી એઈડ્સની જનજાગૃતિ માટે યોજાઈ 5 કિમીની મેરેથોન

મોરબીમાં એચઆઈવી એઈડ્સની જનજાગૃતિ માટે યોજાઈ 5 કિમીની મેરેથોન

મોરબી : ગુજરાત સ્ટેટ એઈડસ કંટ્રોલ સોસાયટી તેમજ મોરબી જીલ્લા આરોગ્ય વીભાગનાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. શ્રીવાસ્તવ, જીલ્લા એઈડ્સ કંટ્રોલ ઓફીસર ડો. ધનસુખ અજાણાના સહયોગથી તેમજ દીશા ડાપકુના માર્ગદર્શનથી સમાજમા એચ.આઈ.વી એઈડ્સ રોકથામ તેમજ જન-જાગૃતિ માટે યુવાનોની ભાગેદારી વધે તે હેતુસર આજે મોરબી ઉમીયા સર્કલ ખાતેથી લેક્ષસ બંગ્લો, લેક્ષસ બંગ્લોથી ઉમીયા સર્કલ સુધી 5 કી.મી “રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોન” નુ આયોજન કરવામાં આવ્યું હતું.
 

મોરબીમાં એચઆઈવી એઈડ્સની જનજાગૃતિ માટે યોજાઈ 5 કિમીની મેરેથોન

મેરેથોનમાં જી.જે શેઠ કોલેજ તેમજ જે.એ પટેલ મહીલા કોલેજ અને ઓમ.વી.વી.આઈ.એમ કોલેજના યુવાઓ અને યુવતીઓ બહોળી સંખ્યામા ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરેથોન બાદ HIV/AIDS અવેસનેશ શેસન તેમજ પ્રથમ, દ્વિતિય, તૃતીય સ્થાન મેળવેલ વીજેતાઓને સર્ટીફીકેટ અને શીલ્ડ વિતરણ કરવામા આવ્યા હતા. આ આ તકે મોરબી જીલ્લા આરોગ્ય અધીકારી ડો. શ્રીવાસ્તવ, જીલ્લા એઈડ્સ કંટ્રોલ ઓફીસર ડો.ધનસુખ અજાણા, પ્રોફેસર. રાજેશ ઠાકોર, પ્રોફેસર. આર.કે.પવાર , રાજેશભાઈ જાદવ, પીયુષભાઈ જોષી, સુરેશભાઈ ચૌહાણ, પીંટુભાઈ રાણીપા, પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેશભાઈ લાંગા ઉપસ્થિત રહ્યા હતા, આ મેરેથોનને સફ્ળ બનાવવા અનમોલ ટ્ર્સ્ટ તેમજ નવજીવન ટ્ર્સ્ટના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબીમાં એચઆઈવી એઈડ્સની જનજાગૃતિ માટે યોજાઈ 5 કિમીની મેરેથોન
મોરબીમાં એચઆઈવી એઈડ્સની જનજાગૃતિ માટે યોજાઈ 5 કિમીની મેરેથોન