મોરબી:- મોરબીમાં ગઈકાલે તારીખ 10 ઓગસ્ટના રોજ શ્રી વરીયા પ્રજાપતિ જગ મંડળ દ્વારા એક જન્માષ્ટમીને અનુલક્ષીને કૃષ્ણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ સ્પર્ધાનું મુખ્ય હેતું લોકો કૃષ્ણ જીવન ચરિત્રના વાંચન તરફ દોરાઈ અને કૃષ્ણ ચરિત્રને સમજીને જીવનમાં અનુસરે તે હેતુથી આ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં 12 વર્ષના બાળકથી માંડીને 75 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ નંબરે નારણીયા મિત લલિતભાઈ બીજા નંબરે મહીજડિયા રેખાબેન જયેશભાઈ અને ત્રીજા નંબરે નારણીયા દિનેશભાઈ આંબાભાઈ વિજેતા જાહેર થયા હતા, આ ઉપરાંત જયતીભાઈ મોહનભાઈ ભોરણીયા બરાસરા પાર્થ જયેશભાઈ અને બરાસરા ધ્રુવ રમણીકભાઈને પણ પ્રોત્સાહન રૂપે વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.