Friday - Apr 17, 2026

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 204 આવાસોને રૂ.4 લાખની સહાય અપાશે

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 204 આવાસોને રૂ.4 લાખની સહાય અપાશે

આવાસોના ડીપીઆર માટે સરકારમાંથી મંજૂરી મળી

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૪ આવાસોના DPR માટે સરકારમાંથી મંજુરી મળી છે. આવા આવાસોના કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામની શરૂઆત કરવામાં આવશે. આ આવાસના બાંધકામ માટે સરકાર દ્વારા ચાર તબક્કામાં રકમ રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી)નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવેલ હોઈ તેવા બેનીફીશીયરી લેક કન્સ્ટ્રકશન (BLC) અંતર્ગતના ફેઝ-૧ ના ૯૯ આવાસ અને ફેઝ-૨ ના ૧૦૫ આવાસ આમ કુલ-૨૦૪ આવાસોના DPR માટેની સરકારમાંથી મંજુરી મળેલ છે. આવા આવાસોના કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામની શરૂઆત કરવામાં આવશે. આ મંજુર થયેલ આવાસો માટે યોજનાની ગાઈડલાઈન મુજબના બાંધકામોમાં સરકાર દ્વારા નિયમોનુસાર ચાર તબક્કામાં રકમ રૂ. ૪.૦૦ લાખની સહાય ફાળવવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.