હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અંતર્ગત મોરબીમાં માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં નાના ભૂલકાઓ પણ જોડાયા હતા અને દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.