Monday - Jul 06, 2026

રાજપરા પરિવારનો આગામી 16મે શુક્રવારે દ્રિતીય પાટોત્સવ યોજાશે.

રાજપરા પરિવારનો આગામી 16મે શુક્રવારે દ્રિતીય પાટોત્સવ યોજાશે.

મોરબી:- સમસ્ત કડવા પાટીદાર રાજપરા પરિવાર દ્વારા મલાર માતાજી નો દ્રિતીય પાટોત્સવ આગામી તારીખ 16/5/2025 ના શુભ દિને નિર્ધારિત કરેલ છે. આ ભકિતભાવ ભર્યા ધાર્મિક પ્રસંગે રાજપરા પરિવારના આંગણે આવેલ રૂડા અવસરે પધારવા સમસ્ત કડવા પાટીદાર રાજપરા પરિવારને ભાવ ભર્યું આમંત્રણ છે.
 

રાજપરા પરિવારનો આગામી 16મે શુક્રવારે દ્રિતીય પાટોત્સવ યોજાશે.

મલાર માતાજી મંદિરે બીડુ હોમવાનું શુભ મુહર્ત બપોરે 3:30 કલાકે છે.

આ પાટોત્સવ અંતર્ગત તારીખ 15/5/2025 ગુરુવાર સાંજે 4:30 કલાકે માતાજી મંદિર માનસર ખાતે માતાજીના રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ 16/5/2025 શુક્રવારે બપોરે 11:00 કલાકે મલાર માતાજી મંદિર માનસર ખાતે રાખવામાં આવ્યું છે.

નિમંત્રણ સ્થળ:- સમસ્ત રાજપરા પરિવાર 
                   મુ. માનસર તા.જી.મોરબી. કોન્ટેક્ટ નંબર 96648 64789