મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર પાસે રહેતા દિલીપભાઈ નાથાલાલ પરમાર ઉ.63 નામના વૃદ્ધને ગઈકાલે શ્વાસની તકલીફ થયા બાદ જમીન ઉપર પડી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ નિપજતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.