Saturday - Jun 13, 2026

મોરબીના અણીયારી ગામની સિમમાંથી અજાણ્યા કિન્નરનો મૃતદેહ મળ્યો

મોરબીના અણીયારી ગામની સિમમાંથી અજાણ્યા કિન્નરનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં આવેલ ગોવિંદભાઇ જસમતભાઈ દેસાઈની વાડીના શેઢેથી અંદાજે 35થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા કિન્નર અથવા સ્ત્રીનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.