Friday - Apr 24, 2026

માળીયાના વવાણીયામાં પવનચક્કીમાંથી તસ્કરો રૂ.2.25 લાખના કોપર વાયરની ચોરી કરી ગયા

માળીયાના વવાણીયામાં પવનચક્કીમાંથી તસ્કરો રૂ.2.25 લાખના કોપર વાયરની ચોરી કરી ગયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 2.25 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી જતા ઘટના અંગે 20 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં સૂઝલોન કંપનીની પવનચક્કીમાંથી ગત તા.7 ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા તસ્કર રૂ.2.25 લાખની કિંમતનો 500 મીટર કોપર વાયરની ચોરી કરી જતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમાર રહે.વવાણીયા વાળાઓએ ચોરીની ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.