મોરબી: રાસંગપરના આઈ શ્રી ખોડીયાર રામામંડળ દ્વારા મોરબીના શહીદ વીર ગણેશભાઈ મનસુખભાઈ પરમારના શહીદ પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે, આઈ શ્રી ખોડિયાર રામામંડળ – રાસંગપર દ્વારા શહીદ પરિવારને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર રૂપિયા) નું આર્થિક યોગદાન આપીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ યોગદાન દ્વારા શહીદ વીરની શહાદતને બિરદાવવામાં આવી હતી.
ખોડિયાર રામામંડળના આ પગલાથી શહીદ પરિવારે કરેલા બલિદાન પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત થાય છે, જે સમાજમાં એક સકારાત્મક સંદેશો ફેલાવે છે.