વાંકાનેર:- આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી શેખરડી તાલુકો વાંકાનેર દ્વારા 30 કિલો વજન ધરાવતી ગર્ભવતી માતાઓને પોષણ કીટ આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે અતિ જોખમી ગર્ભવતી માતાઓએ સંસ્થાકીય ડીલીવરી કરાવે તે માટે તેમને આરોગ્ય સંબંધિત શિક્ષણ આપવામાં આવતું હોય છે તેમ જ આરોગ્ય વિશે એક માહિતી પત્રિકા પણ વિતરણ કરવામાં આવતી હોય છે.
આ કાર્યક્રમ અંતર્ગત ડીપીસીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ના સબ સેન્ટર શેખરડીના એફ.એચ.ડબલ્યુ નિધિ નંદાસીયા દ્વારા ૩૦ કિલો વજન ધરાવતી ગર્ભવતી માતા શિલ્પાબેનને પોષણકીટ વિતરણ કરવામાં આવી હતી,