Wednesday - May 06, 2026

મોરબીમાં મહાશિવરાત્રીએ કતલખાનાઓ બંધ રાખવા મહાપાલિકાનો હુકમ

મોરબીમાં મહાશિવરાત્રીએ કતલખાનાઓ બંધ રાખવા મહાપાલિકાનો હુકમ

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી શહેરી વિસ્તારમાં કતલખાનાઓ બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવાયુ છે કે આગામી મહા શિવરાત્રી પર્વ નિમિતે તા. ૨૬/૦૨/૨૦૨૫ના રોજ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.