Saturday - May 16, 2026

મોરબીના જલારામધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી

મોરબીના જલારામધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીબેન ચંદ્રકાંતભાઈ કક્કડ જન્મદીવસ નિમિતે તેમના પરિવારના સભ્યો પ્રદીપભાઈ, જીજ્ઞેશભાઈ, પ્રત્યક્ષ, દેવ તથા હીતાર્થી દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે લોકો પોતાના જન્મદીન તેમજ શુભપ્રસંગની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે. ત્યારે મોરબીના કક્કડ પરિવાર દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી, સેવા કાર્યમાં સહયોગ આપી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

મોરબીના જલારામધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી

તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, રવજીભાઈ કૈલા, દીનેશભાઈ પારેખ, કે.પી.ભાગીયા સાહેબ, વિપુલભાઈ પંડીત, ભાવેશભાઈ બુદ્ધદેવ, અમૃતલાલ ભોજાણી, કમલેશભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ જન્મદીનની શુભકામનાઓ પાઠવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

મોરબીના જલારામધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી
મોરબીના જલારામધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી