Friday - Jul 03, 2026

મોરબીના ઋષભ નગરમાં શ્રીમદ ભાગવત કથાની ભવ્ય પૂર્ણાહુતિ.

મોરબીના ઋષભ નગરમાં શ્રીમદ ભાગવત કથાની ભવ્ય પૂર્ણાહુતિ.

મોરબી: મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઋષભ નગર ખાતે ભક્તિસભર માહોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવેના મુખારવિંદથી વહેલી કથામૃતની ગંગામાં મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવી હતી.

આ કથા દરમિયાન સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. શાસ્ત્રીજીની પ્રેરણાથી પ્રેરાઈને ત્રણ યુવાનોએ વ્યાસપીઠ સમક્ષ ઉપસ્થિત રહીને આજીવન તમામ પ્રકારના વ્યસનો છોડવાના સંકલ્પ કર્યા હતા. યુવાનોના આ નિર્ણયને ઉપસ્થિત શ્રોતાઓએ વધાવી લીધો હતો.
 

મોરબીના ઋષભ નગરમાં શ્રીમદ ભાગવત કથાની ભવ્ય પૂર્ણાહુતિ.

કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં:
* નંદ ઉત્સવ: કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી.
* ગોવર્ધન લીલા: અન્નકૂટ દર્શન અને ગિરિરાજ પૂજન.
* રૂક્ષ્મણી વિવાહ: ઠાકોરજીના લગ્ન પ્રસંગે ભક્તિમય વાતાવરણ.
* સુદામા ચરિત્ર: મૈત્રીભાવના દર્શન કરાવતો હૃદયસ્પર્શી પ્રસંગ.
સાથે જ રાત્રિના સમયે સંગીત સંધ્યાના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં ભજન અને કીર્તનની રમઝટ બોલી હતી.
 

મોરબીના ઋષભ નગરમાં શ્રીમદ ભાગવત કથાની ભવ્ય પૂર્ણાહુતિ.

આ ધાર્મિક મહોત્સવમાં મોરબીના સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ ખાસ હાજરી આપી વ્યાસપીઠના આશીર્વાદ મેળવ્યા હતા. કથાના વિરામ બાદ દરરોજ શ્રોતાઓ માટે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ઋષભ નગરના રહેવાસીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબીના ઋષભ નગરમાં શ્રીમદ ભાગવત કથાની ભવ્ય પૂર્ણાહુતિ.