મોરબી:- મોરબીમાં આજે તારીખ ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની મોરબીના વાવડીરોડ પર આવેલા કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવડી રોડ પર નિશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું, અબોલ જીવોની સેવામાં પ્રભુ ની સેવા ને સાર્થક કરતા કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દરરોજ રાત્રિના સમયે નિરાધાર ગૌવંશ ને નીણ તથા શ્વાનોને બિસ્કિટ પણ ખવડાવે છે. ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘરના વિતરણનો જીવદયા પ્રેમીઓએ હર્ષ ભેર લાભ લીધો હતો.