મોરબી : હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં વાડી ધરાવતા શાંતિભાઈ હરજીભાઈ રાઠોડ ઉ.50 નામના ખેડૂતને પોતાની જ વાડીમાં વીજ શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.