મોરબી: મોરબી ન્યુમિસમેટિક ક્લબના સ્થાપક ચેરમેન અને એડવોકેટ મિતેષભાઈ દવેના હસ્તે તેમના દાદીમા સ્વ.ત્રિવેણીબેન હર્ષદરાય દવેની ૨૦મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કૃષ્ણનગર તા.માળિયા (મી.) પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એડવોકેટ મિતેષભાઈ દવેએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના પ્રધાનાચાર્ય નીતાબહેન દવે પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા, જેમણે આ ઉમદા કાર્ય બદલ મિતેષભાઈ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.