Friday - Feb 13, 2026

ABVP મોરબી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

ABVP મોરબી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

મોરબી : ABVP મોરબી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીની જુની લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજ ખાતે સ્થિત મયુર વન તેમજ લખધીરજી પોલિટેકનિક કૉલેજ ખાતે વૃક્ષારોપણ  કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા " પર્યાવરણ દિવસ " નિમિત્તે મોરબીની જુની લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજ ખાતે સ્થિત મયુર વન તેમજ લખધીરજી પોલિટેકનિક કૉલેજ ખાતે " વૃક્ષારોપણ " કરવામાં આવ્યું. જેમાં અ.ભા.વિ.પ. મોરબીના કાર્યકર્તાઓ કૉલેજના પ્રાધ્યાપકો અને નેચરલ ક્લબના સદસ્યો પણ સાથે જોડાયા હતા.