મોરબી સાર્થક વિદ્યામંદિરમાં છેલ્લા દોઢ માસના સમયમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે 12 જેટલા ઉપયોગી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યા હતા ધોરણ 9 થી 12 માં ઉત્તમ શિક્ષણ મેળવ્યા બાદ કારકિર્દી અર્થે અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે અને તે શાળામાંથી મળી રહ્યું છે. સાર્થક વિદ્યામંદિર શાળાની દીર્ઘદ્રષ્ટિ , આચાર્ય દીદી ગુરુજીઓની ખૂબ જ મહેનત ,માતા-પિતાઓનો સહકાર તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ કારણે આ બધું શક્ય બની રહ્યું છે.