મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે શિવનગરમાં ગઈકાલે વહેલી સવારે કડીયાકામ કરી રહેલા હેતાબેન નાજુભાઈ સંઘાડા ઉ.વ.35 નામના પરિણીતાને વીજ શોક લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઇલેક્ટ્રિક શોર્ટથી મહિલાનું મોત થતા તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.