Saturday - May 16, 2026

જામનગરના રસનાળ ગામે સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ અને પટેલ સમાજ સ્નેહમિલન મહોત્સવનું ભવ્ય આયોજન.

જામનગરના રસનાળ ગામે સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ અને પટેલ સમાજ સ્નેહમિલન મહોત્સવનું ભવ્ય આયોજન.

જામનગર/જોડિયા: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રસનાળ ગામે સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા આગામી તા. ૩-૦૩-૨૦૨૬ થી ૪-૦૩-૨૦૨૬ દરમિયાન 'સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ' તથા 'રસનાળ પટેલ સમાજ સ્નેહમિલન-૨૦૨૬' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સામાજિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

જામનગરના રસનાળ ગામે સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ અને પટેલ સમાજ સ્નેહમિલન મહોત્સવનું ભવ્ય આયોજન.
જામનગરના રસનાળ ગામે સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ અને પટેલ સમાજ સ્નેહમિલન મહોત્સવનું ભવ્ય આયોજન.

પ્રથમ દિવસના કાર્યક્રમો (તા. ૩-૩-૨૦૨૬, મંગળવાર):
મહોત્સવની શરૂઆત મંગળવારે બપોરે ૨:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી પટેલ સમાજવાડી-રસનાળ ખાતે રામધૂન થી થશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૯:૦૦ કલાકે રસનાળ યુવા ગ્રુપ-મોરબી દ્વારા 'ભવ્ય સંતવાણી' કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા ભજનીક ગોપાલ સાધુ અને રાહુલ રાવળ (શિવ સાઉન્ડ-મોરબીના સથવારે) ભજનોની રમઝટ બોલાવશે.
 

જામનગરના રસનાળ ગામે સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ અને પટેલ સમાજ સ્નેહમિલન મહોત્સવનું ભવ્ય આયોજન.

બીજા દિવસના કાર્યક્રમો અને સન્માન સમારોહ (તા. ૪-૩-૨૦૨૬, બુધવાર):
રસનાળ પટેલ સમાજ ભવનનું એક વર્ષ પૂર્ણ થતા બુધવારે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી સ્નેહમિલન તેમજ ભૂમિદાતાશ્રીઓના સન્માન નો કાર્યક્રમ યોજાશે. બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ગૌરવવંતા ઉદ્યોગપતિઓ ગણેશભાઈ સવજીભાઈ જીવાણી (CEO & MD, મેટ્રિક્સ કોમસેક-બરોડા),  ધર્મેશભાઈ હેમરાજભાઈ જીવાણી (CEO & MD, રસનાળ ટેલિકોમ-ચંદીગઢ) તેમજ ગામનું ગૌરવ સમાન મહેશભાઈ જીવાણી (સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રચારક-R.S.S) નું વિશેષ સન્માન કરવામાં આવશે.

જામનગરના રસનાળ ગામે સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ અને પટેલ સમાજ સ્નેહમિલન મહોત્સવનું ભવ્ય આયોજન.

મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ભવ્ય સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત માનવંતા મહેમાનો તરીકે:
* જગદીશચંદ્ર કોટડીયા (ઉપપ્રમુખશ્રી, ઉમિયાધામ-સીદસર)
* હર્ષિતભાઈ કાવર (યુવા સંગઠન પ્રમુખશ્રી, ઉમિયાધામ-સીદસર)
* વાસુદેવભાઈ ચીખલીયા (સ્ટ્રક્ચર એન્જિનિયર)
*  હરેશભાઈ ઘોડાસરા (પ્રમુખ સંત શ્રી આંબાભગત જગ્યા-ધ્રોલ) હાજરી આપશે.

જામનગરના રસનાળ ગામે સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ અને પટેલ સમાજ સ્નેહમિલન મહોત્સવનું ભવ્ય આયોજન.

આ સમગ્ર મહોત્સવના પ્રમુખ તરીકે  રમેશભાઈ જીવરાજભાઈ જીવાણી અને ઉપપ્રમુખ તરીકે રજનીકાંતભાઈ લવજીભાઈ વરસડા સેવા આપી રહ્યા છે. સમસ્ત કડવા પાટીદાર સમાજ-રસનાળ દ્વારા તમામ ભાઈ-બહેનોને આ પાવન અવસરે સહપરિવાર પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.