વર્લ્ડ હેરીટેજમાં સમાવિષ્ટ ઐતિહાસિક વાવની ઘોર દુર્દશા મોરબીની પૌરાણીક કુબેર વાવનો ભૂતકાળ ભવ્ય પણ વર્તમાન ખંડેર

વર્લ્ડ હેરીટેજમાં સમાવિષ્ટ ઐતિહાસિક વાવની ઘોર દુર્દશા

મોરબીની પૌરાણીક કુબેર વાવનો ભૂતકાળ ભવ્ય પણ વર્તમાન ખંડેર

 મોરબી માં પણ ઘણા વિસ્તારોમાં હેરીટેજ જગ્યાઓ આવેલી છે. તેવી જ એક હેરીટેજ સાઈટ મોરબીના મધ્યે આવેલ કુબેરનાથનું મંદિર જે ઘણા વર્ષો જૂનું છે અને ખુબ જ પૌરાણીક છે. આ મંદિર પર મોરબી વાસીઓને ખુબજ શ્રદ્ધા છે. આ મંદિરની બાજુમાં કુબેર વાવ આવેલ  છે. આ વાવની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલની પરિસ્થિતિ જોતા એમ કહી શકાય કે આ ઐતિહાસિક વાવનો ભૂતકાળ ભવ્ય હતો પણ વર્તમાન ખંડેર છે.

મોરબી શહેરના મધ્યે આવેલ ગ્રીન ચોક પાસે કુબેરનાથ મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિરમાં મોરબી વાસીઓને ખુબજ શ્રદ્ધા છે. લોકો ખુબજ મોટી સંખ્યા માં આ મંદિરે દર્શન કરવા માટે જાય છે. આ મંદિરની બાજુમાં એક  પૌરાણીક વાવ આવેલી છે. આ વાવને નંદા પ્રકાર ની વાવ કહેવામાં આવે છે. આ વાવ વિક્રમ સવંત 1809 માં જીવા મુળજી ઠાકરે બંધાવી હતી. આ વાવ નું નિર્માણ તેનું પણ મહત્ત્વ છે.વર્ષો પહેલા મોરબી માં જે લોકો આવતા તે આ વાવ માં સ્નાન કરી ને કુબેરનાથ મહાદેવ મંદિરે દર્શન કરીને પોતાનું નિત્ય કામે જતા હતા. આજે વર્લ્ડ હેરિટેજ દિવસે આ વાવ ની મુલાકાત લઈ ને આ વાવ ની હાલ ની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં  વાવ સારી પરિસ્થિતિ માં છે. સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ આપવામાં આવે તો આ વાવ નો  સારી રીતે વિકાસ થઈ શકે તેમ છે. મોરબીવાસીઓ ની સરકાર પાસે એવી અપીલ છે કે આ વાવ નો વિકાસ કરવામાં આવે તો મોરબી માં વધુ એક ફરવાલાયક સ્થળ બની શકે એમ છે.

હું આ વિસ્તાર માં છેલ્લા 30 વર્ષ થી પ્રતિનિધિ કરું છુ. આ વાવ ની બાજુમાં કુબેરનાથ દાદા નું મંદિર છે.  આ વાવ પણ વર્ષો જૂની છે.આ વાવ માં પહેલા ના સમય માં લોકો અહીં આવતા પોતાનો નિત્યક્રમ કરી પૂજા પાઠ કરી ને પછી દર્શને જતા હતા.આ વાવ વર્ષો જૂની છે. સરકારને અમારી અપીલ છે આ વાવ ને વિશેસ ગ્રાન્ટ આપી ને હજુ વધુ વિકાસ થઈ શકે તેમ છે.

અનોપસિંહ સંજુભા જાડેજા ,પૂર્વ કાઉન્સીલર ,મોરબી

આ વાવ ખુબ જ પૌરાણીક છે. આ વાવ ખુબ જ પ્રાચીન છે. અહીં ભાવિક ભક્તો ખુબ જ મોટી સંખ્યામાં આવે છે. પહેલા ના સમય આખું મોરબી અહીંથી પાણી ભરતું હતું. મારી સરકાર ને અપીલ છે કે આવી પ્રાચીન વસ્તુઓ ની જાળવણી કરવી જોઈએ અને વિશેષ ગ્રાન્ટ આપીને આ વાવ નો વધુ માં વધૂ વિકાસ થયો જોઈએ.

જગદીશભાઈ બામભળિયા,સામાજીક કાર્યકર ,મોરબી

આ વાવ મારા જન્મ પહેલા ની આવેલી છે. પહેલા જુના જમાનામાં વૃદ્ધ લોકો અહીં સ્નાન કરવા આવતા હતા.આ વાવ ચમત્કારીક વાવ છે. સરકર પાસે એવી અપીલ છે કે આ વાવ ને વિશેષ  ગ્રાન્ટ ફાળવામાં આવે તો આ વાવ નો પણ વિકાસ થઈ શકે તેમ છે. કુબેરનાથ મહાદેવ નો પણ વિકાસ થઈ શકે તેમ છે. મોરબીવાસીઓ ને એક ફરવા લાયક સ્થળ સારું એવું બની શકે તેમ છે.

રાજુભાઈ દવે ,સામાજીક કાર્યકર ,મોરબી