મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ વાઇડ એન્ગલ સેનેટરીવેર ફેકટરીમાં અરવિંદ સંતોષભાઈ સીસોદીયા ઉ.14 નામના સગીરને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.